Friday, 8 July 2016

જિંદગીની જાણી-અજાણી કથા-12

કોફિન...


એક વખત એક કંપનીમાં સવારે લોકો આવ્યા તો જોયું કે મુખ્ય ઓફીસ માં એક કોફીન મુકેલું છે અને એની ઉપર લખેલું હતું કે તમારી કારકિર્દી માં નડતર રૂપ એક માનસ મૃત્યુ પામ્યો છે !!!
બધા ને શોક અને ખુશી ની મિશ્રિત લાગણી થઇ ,, એક સાથી નું મૃતુયું થયું પણ આપડી કારકિર્દી તો આગળ વધશે ,,, બધા એ જાણવા આતુર હતા કે એ કયો સાથી મૃત્યુ પામ્યો છે
એક એક માણસ આગળ આવ્યો અને કોફીન ઉચું કરી જોવા લાગ્યો અને હતપ્રભ થઇ ગયો …
કારણ કે કોફીન માં કોઈ જ નો હતું ફક્ત એક અરીસો મુક્યો હતો જેમાં એ વ્યક્તિ ને પોતાનું જ પ્રતિબિંબ બતાતું હતું
વાત આટલી જ છે મિત્રો,, ભાગી છૂટનારા બધા અલગ અલગ માણસો ને દોષ આપ્યા કરે પણ હકીકતે તો આપડી નિષ્ફળતા માટે આપડા ઓછા પ્રયત્નો જ જવાબદાર હોઈ છે,,.


Source: Unknown

No comments:

Post a Comment